તા. ૧૨,૧૩,૧૪ સપ્ટેમ્બરના રોજ ઉજવાશે ત્રિદિવસીય ઉર્ષ મુબારક
૬૦૦ સાલ પહેલે બંદગી કે લિયે ઠુકરાયે હીરા જવાહીરાત
કી ગુંજ આજભી મૌલાયા રાજા કી દરગાહ પર ગુંજતી હે
મૌલાઈ રાજા બિન મૌલાઈ દાઉદ ક.રૂ. ની શાનમાં સૈયદી સાદિકઅલી સાહેબની નસીહતની અમુક પંક્તિ નીચે મુજબ રજુ કરેલ છે
“ આ દાઅવતલ હકની જે ખીદમત કરી ગયા છે, જીવતા છે વો કબ્રમાં સર્વે અગર જે મરી ગયા છે “
આ શહેરમાં દાઉદી વ્હોરા સમાજની પવિત્ર જગ્યાઓ મોજુદ છે જે ઈતિહાસ સાથે જોડાયેલ છે તેમાં મુખ્યત્વે મૌલાઈ રાજા સાહેબ દરગાહ, મૌલાઈ રાજા સાહેબની મસ્જીદ, મૌલાઈ રાજા સાહેબનો કુવો, મૌલાઈ રાજા સાહેબનું મકાન સામેલ છે જે ઈશ્વરની કસોરીની અને ઈશ્વર-અલ્લાહ સાથે જોડાવવાની અને કુદરત સાથેના પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે
મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજના દાઈ સૈયદના નુર મોહમ્મદ નુરૂદીન સાહેબ જેમની દરગાહ માંડવી કચ્છ મુકામે છે તેમની મસ્જીદ, સુરત મુકામે જેમની દરગાહ છે તેવા સૈયદના અબ્દેઅલી સૈફુદીન સાહેબના ગુરફા મુબારક અને આપની એતીહાસિક મસ્જીદ આ તમામ સ્થળો હાલના સમયમાં મોજુદ છે આ તમામ ઈમારતો દાઉદી વ્હોરા સમાજ માટે એક ગૌરવવંતા ધાર્મિક લાગણી સાથે જોડાયેલ છે
મૌલાઈ રાજા સાહેબ હી. ૮૩૫ ઈ.સ. ૧૪૧૪ માં પાટણથી મોરબી મુકામે તશરીફ લાવ્યા અને મોરબીને દારૂલ હિજરત બનાવ્યું. મૌલાઈ રાજા સાહેબ જે ઘરમાં રહેતા હતા તે હાલમાં હયાત છે અને આજ શેરીમાં મૌલાઈ રાજા સાહેબની મસ્જીદ આવેલી છે અને એજ મસ્જીદમાં તારીખી એતિહાસિક અને ધર્મનું પ્રતિક સમાન કુવો પણ મોજુદ છે
મૌલાઈ રાજા સાહેબ નિત્ય ક્રમ અનુસાર એક દિવસ સાંજના સમયે કપડાના વણાટનું કામમાં મશગુલ હતા અને સંધ્યા – મગરીબનો સમય થયો તરત જ કામ મૂકી ખુદાની બંદગી-નમાઝ માટે મસ્જીદમાં ગયા અને વુઝું કરવા માટે પાણી લેવા ડોલ કુવામાં નાખી પાણીના બદલે હીરા-જવેરાત આવ્યા, આ હીરા ઝવેરાત કુવામાં પાછા નાખી દીધા આમ ત્રણ વખત ખુદાએ આપની પરીક્ષા કરી પણ હીરા ઝવેરાત અને દુનિયાની તમામ દૌલત ઠુકરાવી ઈશ્વર-અલ્લાહને પ્રાર્થના દુઆ કરી કે એ પરવરદિગાર મારે તો તારી બંદગી અને નમાઝ પઢવી છે ત્યારબાદ કુવામાં ડોલ નાખી અને પાણી આવ્યું અને આપે નમાઝ પઢી આમ ખુદાની કસોટીમાંથી પસાર થયા આ કુવો હાલમાં મોજુદ છે અને આ સમગ્ર ઘટના દાઉદી વ્હોરા સમાજના તમામ ધાર્મિક ગ્રંથોમાં સોનાના અક્ષરથી નોંધાયેલ છે
આપના સમયમાં કાઠીયાવાડમાં પાણીની કટોકટી સર્જાતા મૌલાઈ રાજા સાહેબે વાંકડા ગામ પાસે ચાર ગામના સીમાડની વચ્ચે એક વાવ બનાવી જેનાથી અનેક લોકોએ એ વાવનો ફાયદો લીધો આ વાવ હાલમાં પણ આપના નામ સાથે સમયની સાક્ષીનું પ્રતિક છે ખુદાએ આપની નસ્લમાં નવ સંતહૃદાઇહ આપ્યા જેમાંથી ૪ સાહેબોની દરગાહ જામનગર, ૧ સાહેબની દરગાહ માંડવીમાં, 3 સાહેબોની દરગાહ સુરત અને ૧ સાહેબની દરગાહ બુરહાનપુર એમપીમાં આવેલ છે
આપની દરગાહ મોરબી શહેરની શાનો-શોકાત અને ખુદા અને તેમના બંદા વચ્ચે કસોટીનું પ્રતિક છે આ દરગાહને ખુશ્બુ ગુજરાત હેરીટેજ તેમજ ટુરીઝમ હેઠળ પણ સમાવવામાં આવેલ છે
મોરબી શહેર દાઉદી વ્હોરા સમાજનું પવિત્રતા અને ધાર્મિક વૈશ્વિક ઈતિહાસ તેમજ દાઉદી વ્હોરા સમાજની પ્રેરણા અને શ્રદ્ધા માટે ઉત્તમ ધાર્મિક લાક્ષણિકતા ધરાવતું સ્થળ છે જે તે સમયે મોરબી દાઉદી વ્હોરા સમાજનું દાઅવતનું મરકઝ હૃધર્મનં મેઈન મથક હતું અને સમગ્ર વ્હોરા સમાજનું શિક્ષણ અને તમામ પ્રવૃત્તિ મોરબી શહેરમાંથી થતી, આમ મોરબી પ્રબળ રાષ્ટ્રવાદની પ્રેરણા સ્વરૂપ અને એક આદર્શ શહેર તરીકે નોંધપાત્ર છે
આપ હિજરી કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલ મહિનાની ૨૩ મી તારીખે વફાત થયા હતા મોરબીમાં અને દુનિયામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા આપનો ઉર્ષ હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે ચેહ લાખો લોકો દેશ વિદેશમાંથી આપની દરગાહ પર આવીને માથું નમાવી પોતાની ઉમ્મીદો પૂરી કરે છે
