વિશ્વ ફિઝિયોથેરાપી દિવસના અવસર પર શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશનટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારામફત ચેકઅપ તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આકેમ્પ સોમવાર, તા. 8મી સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ ખાસ કેમ્પનુંઆયોજન સંસ્થાની બંને ઓપીડીમાં કરવામાં આવશે, જેમાં લક્ષ્મીનગરકેમ્પસ સ્થિત ઓપીડી તેમજ શ્રી આર્યાતેજ ફિઝિયોથેરાપી ક્લિનિક, પંચાસર રોડ, મોરબીનો સમાવેશ થાય છે. કેમ્પનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી રહેશે.
આ કેમ્પમાં લોકોને મફત ફિઝિયોથેરાપી ચેકઅપ સાથે સારવારનીસુવિધા આપવામાં આવશે. કેમ્પમાં જોડાવવા માટે પૂર્વ-નિયુક્તિ (PriorAppointment) લેવી જરૂરી છે. ઇચ્છુક લોકો 9512410099 પર સંપર્કકરી પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે.
સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે નવાસાદુકા ગામ, મોરબી નજીક મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક લોકોને નિદાન, જાગૃતિ અને સારવારનો લાભ મળશે.આઅવસર પર સંસ્થા તમામ મોરબીના નાગરિકોને તેમજ ગ્રામ્ય વિસ્તારનાલોકોને આ કેમ્પનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપે છે.