R R Gujarat

મોરબીમાં તાંત્રિક વિધિ કરી હોવાનો શક રાખી બે ઇસમોએ લાકડી વડે માર માર્યો

મોરબીમાં તાંત્રિક વિધિ કરી હોવાનો શક રાખી બે ઇસમોએ લાકડી વડે માર માર્યો


મોરબી માળિયા વનાળીયા સરકારી સ્કૂલ પાસે રહેતા ૭૫ વર્ષના વૃદ્ધને પાડોશમાં રહેતા પિતા પુત્રએ તાંત્રિક વિધિઓ કર્યાનો શક રાખીને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના સામાકાંઠે માળિયા વનાળીયા સરકારી શાળા પાસે રહેતા રામજીભાઈ વશરામભાઈ અંબાલીયા (ઉ.વ.૭૫) નામના વૃદ્ધે આરોપી ભલાભાઈ માલાભાઈ અંબાલીયા અને કમલેશ ભલાભાઈ અંબાલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રામજીભાઈ વહેલી સવાર નિત્યક્રમ મુજબ ચાલવા જતા હતા ત્યારે પાડોશમાં રહેતા આરોપીઓએ ફરિયાદી રામજીભાઈ પર પોતાના ઘરમાં તાંત્રિક વિધિઓ કરતો હોવાનો શક રાખી લાકડી વડે માર મારી શરીરે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે