પંચાસીયા ગામ નજીક આવેલ પેપરમિલમાં પલ્પર મશીનમાં આવી જતા ઈજાગ્રસ્ત ૨૦ વર્ષના યુવાનનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે
મૂળ યુપીના રહેવાસી હાલ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં આવેલ બ્રાઉનીયા પેપરમિલના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા ધનંજય બંગાલીભાઈ નિષાદ (ઉ.વ.૨૦) નામના યુવાન ગત તા. ૨૨ જુનના રોજ પેપરમિલમાં કન્વેયર બેલ્ટ ઉપર સુતો હતો ત્યારે પલ્પર મશીનમાં આવી જતા યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે