R R Gujarat

વજે૫૨ની ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો નામંજુર કરતી મોરબીની કોર્ટ

વજે૫૨ની ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો નામંજુર કરતી મોરબીની કોર્ટ

મોરબી તાલુકાના વજે૫૨ ગામના સરવે નં. ૭૪૦ પૈકીની જમીન પરત્વે રજી.વેચાણ દસ્તાવેજ થયેલા હતો અને તે દસ્તાવેજ રદ કરાવવા વિગેરે અર્થેનો દાવો હરિબેન રવજીભાઈ ચાવડા વિગેરેના ઘ્વારાશ્રી મોરબીના મહે. સીવીલ જજ સાહેબની કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતો અને તે કામે પ્રતિવાદીઓ તે સ્વ. દેવરાજભાઈ રત્નાભાઈ ના વારસો મોહનભાઈ દેવરાજભાઈ ના ઘ્વારા તેઓના એડવોકેટ શ્રીધ્વારા તે દાવાના કામે દાવાના જવાબ-વાંધા રજુ કરી તે દાવો નામંજુર કરવા અરજ અહેવાલો કરવામાં આવેલ હતા અને તે કામે શ્રી મોરબીના મહે. સીવીલ જજ સાહેબ ઘ્વા૨ા પ્રતિવાદી ના એડવોકેટ શ્રી ડી.આર.આદ્રોજા ઘ્વારા કરવામાં આવેલ દલીલો અને રજુઆતોને ઘ્યાને લઈને સદરહું વેચાણ દસ્તાવેજ રદ કરવા વિગેરે અંગેનો દાવો નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

સદરહું કેસમાં પ્રતિવાદી પક્ષે એડવોકેટ શ્રી ડી.આ૨.આદ્રોજા,ડી.વી.પારેઘી, કે.બી.આદ્રોજા રોકાયેલા હતા. તેમજ સદરહું કામે આદ્રોજા એસોશીયેટસ ની લીગલ ટીમ તરીકે ગૌ૨વ જે. છત્રોલા, રૂત્વી એમ.બાવ૨વા, કૃપાલી એસ. છત્રોલા, ધનશ્યામ બી. આદ્રોજા, હર્ષ જે. પટેલ, આયુશ વાય. સબા૫રા વિગેરે એ કામગીરી કરેલ હતી.