R R Gujarat

વાંકાનેરના સિંધાવદર ગામે પત્નીએ ઠપકો આપતા એસીડ પી યુવાનનો આપઘાત

વાંકાનેરના સિંધાવદર ગામે પત્નીએ ઠપકો આપતા એસીડ પી યુવાનનો આપઘાત


સિંધાવદર ગામે રહેતા ૩૦ વર્ષના યુવાનને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાથી પત્નીએ ઠપકો આપ્યો હતો જેથી યુવાન એસીડ પી લેતા મોત થયું હતું
વાંકાનેર તાલુકાના સિંધાવદર, ગાત્રાળનગરમાં રહેતા મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉ.વ.૩૦) નામના યુવાન એસીડ પી લેતા મોત થયું હતું બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મનીષભાઈને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને પત્નીએ ઠપકો આપ્યો હતો જેથી લાગી આવતા યુવાને એસીડ પી લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે