R R Gujarat

માળિયા તાલુકાના વેજલપર ગામ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાશે

માળિયા તાલુકાના વેજલપર ગામ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાશે

મોરબી – માળિયા તાલુકાના વેજલપર ગામ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ (ગોકુળ આઠમ) અંતર્ગત વેજલપર શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ૧૬ ઓગસ્ટ ને શનિવારના રોજ સવારે ૮ કલાકે શ્રી રામજી મંદિર થી પ્લોટ વિસ્તાર સુધી આ શોભાયાત્રાનું આયોજન કરેલ છે.વેજલપર શોભાયાત્રા સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં સમસ્ત ગામની ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં જોડાવવા અને દર્શનનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય શ્રી કૃષ્ણ.