આરોપી ભાઈ વિરુદ્ધ બહેને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
મોરબીના રાજપર ગામે ગત મોડી રાત્રીના હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં માથા તેમજ શરીરે લાકડી, ચપ્પુ વડે માર મારી ગંભીર ઈજા કરી યુવાનની હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવ અંગે મૃતકના બહેને ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મોટાભાઈએ કામ ધંધો ના કરતા નાણા ભાઈની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના યદુનંદનમાં રહેતા ભાવનાબેન નીલેશભાઈ ભીમાણીએ આરોપી મહેશ મોહનભાઈ અઘારા રહે રાજપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા ૦૪ ના રોજ સવારના છએક વાગ્યે પિતાએ ફોન કરી જાણ કરી હતી કે ભાઈ પ્રવીણનું મોત થયું છે જેથી રાજપર ગામે પિતાના ઘરે ગયા હતા અને પ્રવીણભાઈ લોહી લુહાણ હાલતમાં મૃત હાલતમાં પડ્યા હતા પ્રવીણભાઈના માથાના ભાગે, કપાળના ભાગે, જમણી આંખના ભાગે, ડોક અને ડોક પાછળના ભાગે તેમજ ખંભા પર શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા અને ઈજા જોવા મળી હતી
બનાવ અંગે પિતાને પૂછતાં જણાવ્યું હતું કે તા. ૦૩ ના રોજ બપોરના દીકરો પ્રવીણ નાહી ધોઈને બહાર ગયો અને રાત્રીના અઢી વાગ્યે ઘરે આવ્યો ત્યારે પિતા અને ભાઈ મહેશભાઈ જાગી ગયા હતા પ્રવીણભાઈ રૂમમાં જઈને સુઈ ગયા હતા મહેશ જાગીને લાકડી લઈને પ્રવીણ પાસે ગયો અને પ્રવીણને કહેવા લાગ્યો તું કાઈ કામ ધંધો કરતો નથી બહારથી ઉછીના રૂપિયા લઈને જલસા કરે છે તે લીધેલા રૂપિયા અમારે ભરવા પડે છે તારે કારણે દસ વીઘા જમીન વેચી નાખી અને તારા કારણે ઘરે રૂપિયા માંગવા વાળા આવે છે કહીને ઝઘડો કરી મહેશે આવેશમાં આવી લાકડી વડે માથા અને છરી વડે ઈજા કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું
આમ મૃતક પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (ઉ.વ.૩૭) નામના યુવાન કામધંધો કરતો ના હોવાથી અને બહારથી હાથ ઉછીના રૂપિયા લઈને જલસા કરતો હતો જેનું દેવું પિતા ભરત હતા અને પિતાએ દસ વીઘા જમીન વેચી નાખી હતી જેથી મોટા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારાએ કંટાળી લાકડી અને શાક સોલવાના ચપ્પુ વડે માર મારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી ભાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે