મીતાણા ગામના રહેવાસી 65 વર્ષના વૃદ્ધાને કોઈ ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ડોક્ટરે મરણ ગયેલ જાહેર કર્યા છે
ટંકારા તાલુકાના મીતાણા ગામના રહેવાસી લીલાબેન દેવજીભાઈ પારઘી (ઉ. વ.65) વૃધ્ધાને ગત તા. 01 ના રોજ વહેલી સવારના ઝેરી જનાવર કરડી જતાં ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃધ્ધાને મૃત જાહેર કર્યા હતા ટંકારા પોલીસે બનાવની નોંધ કરી છે