R R Gujarat

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં ગળેફાંસો ખાઈ આધેડે આપઘાત કર્યો

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં ગળેફાંસો ખાઈ આધેડે આપઘાત કર્યો

 

લાકડધાર ગામની સીમમાં આવેલ ફેક્ટરીમાં પૈસાની તંગીથી કંટાળી ગયેલા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

મૂળ મધ્યપ્રદેશ હાલ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં ફેક્ટરીમાં રહીને કામ કરતાં નવલસિંહ કનુભાઈ રાઠોર (ઉ. વ.41) નામના આધેડ લેબર ક્વાર્ટરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકને પૈસાની તંગી હોવાથી કંટાળી આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી છે