R R Gujarat

મોરબીમાં ફ્લેટ લેતા પહેલા વિચારી લેજો : નક્ષત્ર એ/બી ટાવરના નબળા બાંધકામ કરાયા ?

મોરબીમાં ફ્લેટ લેતા પહેલા વિચારી લેજો : નક્ષત્ર એ/બી ટાવરના નબળા બાંધકામ કરાયા ?

બંને ટાવરના રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવ્યું


બિલ્ડિંગની નબળી ગુણવત્તા અંગે સવાલો ઉઠાવતા ખળભળાટ



મોરબીમાં ઠેર ઠેર બહુમાળી ઇમારતોનો રાફડો ફાટ્યો છે અનેક સ્થળે મંજૂરી વિના બાંધકામ થતાં હોવાની પણ રાવ ઉઠતી રહે છે ત્યારે મોરબીના નક્ષત્ર એ અને બી ટાવરનું નબળું બાંધકામ હોવાનું અને અપૂરતી સુવિધાઓ અંગે સ્થાનિકોએ બિલ્ડર સામે મોરચો માંડ્યો છે અને બહુમાળી ઇમારતના નબળા બાંધકામની ફરિયાદ ઉઠતાં ફ્લેટ લેનાર નાગરિકો અને ભવિષ્યમાં લેવાનું વિચારી રહ્યા નાગરિકો મુંજવણમાં મુકાઇ ગયા છે


મોરબીના રવાપર ઘુનડા રોડ પર શક્તિ ટાઉનશીપમાં આવેલ નક્ષત્ર એ/બી ટાવરના રહીશોએ મ્યુનિસપલ કમિશનરને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે નક્ષત્ર એ અને બી ટાવરનું બાંધકામ શિવ શક્તિ કંસ્ટ્રકસન દ્વારા કરવામાં આવ્યું હતું જેના ભાગીદારો દીક્ષિત પ્રવીણભાઈ રંગપરીયાં, કંદર્પ અંબારામભાઈ રંગપરીયા અને જિતેન્દ્ર પ્રભુભાઈ રંગપરીયા છે જે બિલ્ડિંગનું બાંધકામ સાવ નબળી ગુણવત્તાનું કર્યુ હોવાથી દોઢ વર્ષના સમયગાળામાં બિલ્ડિંગમાં અનેક ફ્લેટમાં અંદર અને બહારની બાજુએ લૂણો લાગી ગયો છે તેમજ કલર પણ ઊખડી ગયો છે કેટલૉગમાં લખીને આપેલ સુવિધા પણ પૂરતા પ્રમાણમાં આપી નથી ખાસ તો ફાયર noc તથા ગિજર ફીટીંગ, ઇલેક્ટ્રિક લાઇટ બોર્ડ જેવી સુવિધાઓ પણ કહ્યા પછી પણ આપી નથી
નક્ષત્ર એના ફ્લેટ નંબર 801 ના બાથરૂમનથી પાણી લીકેજ થાય છે અને તે પાણી ફ્લેટ નંબર 701 ના બાથરૂમમાં ટપકે છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં રીપેર કરેલ નથી નક્ષત્ર એ અને બી ટાવરની ઉપરની છતમાં વરસાદ દરમિયાન ભેજ આવે છે અને નક્ષત્ર બી ની ઉપરની છતમાથી તો ભેજન લીધે નવમા અને દશમાં માળના ફ્લેટમાં પાણી આવે છે બંને ટાવરના બાંધકામમાં હલકી ગુણવત્તાનું રો મટીરિયલ્સ વાપર્યુ છે જેને લીધે બધી સમસ્યા થાય છે ટાઇલ્સ પણ પ્રીમિયમ કહીને બીજા-ત્રીજા ગ્રેડની વાપરી છે
જે તમામ બાબતો અંગે બિલ્ડરને શરૂઆતથી જ વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ લાવ્યા નથી અને કોઈપણ જવાબ આપ્યો નથી બધા ફ્લેટ ધારકો પાસેથી પૂરતું પેમેન્ટ વસૂલી છેતરપિંડી કરી છે જેથી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે

બિલ્ડરોની દાદાગીરી સામે કોણ રક્ષણ આપશે ?
મોરબીમાં નાગરિકો પોતાની મરણ મૂડી ખર્ચીને સપનાનું ઘર ખરીદતા હોય છે પરંતુ બિલ્ડરોને કાયદા કે સરકારનો કોઈ ડર રહ્યો ના હોય તેમ મનમાની ચલાવતા હોવાની ફરિયાદો છાશવારે ઉઠતી રહે છે કેટલૉગમાં દર્શાવેલ સુવિધાઓ હોય કે મંજૂરી સહિતના પ્રશ્નો હોય બિલ્ડરો બહુમાળી ઇમારતો ખડકી લોકોને ફ્લેટ વેચી રોકડી કરી નીકળી જતાં હોય છે પરંતુ ફ્લેટ ખરીદનાર ગ્રાહકોએ આખી જિંદગી તેમ વિતાવવાની હોય છે ત્યારે બિલ્ડરોની દાદાગીરી સામે કોણ લગામ લગાવશે તે મોટો સવાલ છે