R R Gujarat

મોરબીના બંધુનગર નજીક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના બંધુનગર નજીક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

 

બંધુનગર નજીક ફેક્ટરીમાં રહેતા 21 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી ગઈ હતી

મૂળ યુપીના રહેવાસી હાલ બંધુનગર પાસે હિમત ગલેજ ટાઇલ્સ કારખાનામાં રહેતા અંકુશકુમાર રાજેશકુમાર નામના 21 વર્ષના યુવાને ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે