મકનસર નજીક રીક્ષામાં જતા પૌઢને ઉલટી થયા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પૌઢનું મોત થયું હતું
વાંકાનેરના વઘાસીયા ગામના રહેવાસી અમરવન હરજીવન ગોસ્વામી (ઉ.વ.૫૪) નામના પૌઢ રીક્ષામાં જતા હતા અને મકનસર પાસે પહોંચતા ચાલુ રીક્ષાએ ઉલટી કરવા લાગ્યા હતા જેથી સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
