લખધીરપુર રોડ પર આવેલ ફેક્ટરીની લેબર કોલોનીમાં ૫૧ વર્ષીય આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હોલીસ સિરામિકની લેબર કોલોનીમાં રહીને કામ કરતા મુન્નાપ્રસાદ સીતારામપ્રસાદ તાતી (ઉ.વ.૫૧) નામના આધેડનો મૃતદેહ રૂમમાંથી મળી આવ્યો હતો આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


