વનાળીયા ગામના પાટિયા નજીક કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં રીક્ષાના ચાલક તેમજ મુસાફરોને ઈજા પહોંચી હતી
મોરબીના નવલખી રોડ પર રણછોડનગરમાં રહેતા ભાનુભાઈ સુખાભાઈ રાઠોડ (ઉ.વ.૬૦) કાર જીજે ૩૬ એસી ૯૬૬૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી મોરબી નવલખી રોડ પર વનાળીયા ગામના પાટિયા નજીક સામેથી આવી ફરિયાદીની ઓટો રીક્ષા જીજે ૦૩ ડબલ્યુ ૧૨૩૧ સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી ભાનુભાઈ સુખાભાઈ રાઠોડને મુંઢ ઈજા અને અજયકુમાર શિવપ્રભુરામ રાયને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે