R R Gujarat

વાંકાનેરના પાંચદ્વારકા ગામે પ્રેમસંબંધ મામલે યુવાનને ચાર ઇસમોએ માર માર્યો

વાંકાનેરના પાંચદ્વારકા ગામે પ્રેમસંબંધ મામલે યુવાનને ચાર ઇસમોએ માર માર્યો


પાંચદ્વારકા ગામના મંદિર સામે યુવાનને પ્રેમસંબંધ અને મૈત્રી કરાર મામલે ચાર ઇસમોએ લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા લખમણભાઈ ભીખાભાઈ બાહુકીયા (ઉ.વ.૩૬) વાળાએ આરોપીઓ પોપટ કાનજીભાઈ દંતેસરીયા, મનીષ પોપટભાઈ દંતેસરીયા, વિક્રમ પરષોતમભાઈ દંતેસરીયા અને મુકેશ પરશોતમભાઈ દંતેસરીયા રહે બધા પાંચ દ્વારકા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી લખમણને આરોપી પોપટ દંતેસરીયાની દીકરી સાથે પ્રેમસંબંધ હોય અને મૈત્રી કરાર કર્યા હતા જેનો ખાર રાખી યુવાન ગામના મંદિર પાસે ઉભો હતો ત્યારે પાછળથી આરોપીઓએ આવીને લાકડાના ધોકા વડે પગના ભાગે ફ્રેક્ચર કરી તેમજ વાસામાં લાકડાના ધોકા મારી ઈજા કરી હતી તેમજ હાથના બાવડામાં અને ખભાના ભાગે અને આંખ નીચે મુંઢ ઈજા કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે