R R Gujarat

મોરબી-વાંકાનેર હાઈવે પર બે રીક્ષા અથડાતા રીક્ષામાં બાળકનું મોત, પિતાને ઈજા પહોંચી


મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર રીક્ષામાં બેસી પિતા અને બે પુત્ર હોસ્પિટલ જતા હતા ત્યારે સામેથી આવતી રીક્ષા સાથે રીક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં રીક્ષામાં બેસેલ પિતાનો હાથ કોણીથી કપાઈ ગયો હતો જયારે બે વર્ષના માસૂમનું ગંભીર ઈજાને કારણે મોત થયું હતું
ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના સરતાનપર રોડ પરની સોલારીશ સિરામિક ફેકટરીમાં રહીને કામ કરતા નેહાબેન પીન્ટુભાઈ બરનવાલે રીક્ષા જીજે ૩૬ યુ ૫૧૧૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ જુનના રોજ ફરિયાદી નેહાબેન, પતિ પીન્ટુભાઈ તેમજ બે પુત્ર આદિત્ય અને આયુષ (ઉ.વ.૦૨) બધા રીક્ષામાં બેસી મોરબી હોસ્પિટલ જતા હતા ત્યારે મોરબી વાંકાનેર હાઈવે પર સર્વિસ રોડ પર પાશ્વનાથ કોમ્પ્લેક્ષ પટેલ પાન સામેથી આવતી રીક્ષા સાથે ફરિયાદી સવાર હતા તે રીક્ષા સાદીના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીના પતિ પીન્ટુભાઈ (ઉ.વ.૪૪) વાળાનો હાથ કોણીના ભાગથી કપાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી તેમજ દીકરા આયુષ (.વ.૦૨) વાળો ફંગોળાઈ પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે