R R Gujarat

મોરબીના ખારચીયા નજીક એસટી પાછળ અરટીગા ઘૂસી ગઈ, બેના મોત

મોરબીના ખારચીયા નજીક એસટી પાછળ અરટીગા ઘૂસી ગઈ, બેના મોત

 

મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસ ઉભી હતી જેની પાછળ પુરઝડપે આવતી કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં આંધ્રપ્રદેશના રહેવાસી પૌઢ અને વૃદ્ધના કરુણ મોત થયા હતા તો કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા મોરબી અને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે કારમાં સવાર સગીર વયના બાળકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતના બનાવ અંગે એસટી બસના ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આંધ્રપ્રદેશના વતની લોકો ગુજરાત યાત્રા માટે આવ્યા હતા જેઓ ગાંધીધામથી દ્વારકા જતા હતા અને વહેલી સવારે પોણા પાંચેક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના આમરણ નજીક આવેલ ખારચિયા ગામ પાસે પહોંચ્યા ત્યારે રોડની સાઈડમાં એસટી બસ ઉભી હતી જેની પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી પુરઝડપે જતી કાર એસટી પાછળ ઘુસી જતા કારમાં સવાર કાશેયા રામુલુ રોમ્પલી (ઉ.વ.૬૭) અને રામાનુજ ચારુલું જગન્નાથ ચારુલું (ઉ.વ.૫૩) રહે બંને આંધ્રપ્રદેશ વાળાના કરુણ મોત થયા હતા તેમજ કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા એકને મોરબી અને બે વ્યક્તિને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં ૧૩ વર્ષના સગીરનો ચમત્કારિક બચાવ થયો હતો જે અકસ્માત મામલે જામનગર રહેતા અને એસટી બસના ડ્રાઈવર દિલીપ જોશીએ મોરબી તાલુકા પોલીસમાં કાર જીજે 39 ટી 7361 ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે