R R Gujarat

મોરબીના વિજયનગરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી આપઘાત કર્યો

મોરબીના વિજયનગરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી આપઘાત કર્યો


વિજયનગરમાં રહેતા ૪૦ વર્ષીય યુવાને બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિજયનગર શેરી નં ૦૧ માં રહેતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૪૦) વાળા ગત તા. ૨૨ ના રોજ પોતાના ઘરે રૂમમાં છતના હુંક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક લક્ષ્મણભાઈ નાનપણથી આચકીની બીમારીથી પીડાતા હતા અને બીમારીથી કંટાળી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધાનું ખુલ્યું છે બી ડીવીઝન પોલીસ આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે