બાયપાસ નજીક આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય 37 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીના રહેવાસી હાલ મોરબી રાજકોટ બાયપાસ પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી મજૂર ઓરડીમાં રહેતા અમિતસિંહ ગિજેશસિંહ રાજપૂત (ઉ. વ..37) વાળા યુવાન પોતાની રૂમમાં કોઈ કારણોસર પતરાંની છતની એંગલ સાથે ચાદર વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી સિટી એ ડિવિજન પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે