R R Gujarat

મોરબીના નાગડવાસ નજીક કાર પલટી જતાં એકનું મોત

મોરબીના નાગડવાસ નજીક કાર પલટી જતાં એકનું મોત

 

નાગડવાસ ગામના પાટિયા નજીક કાર ચાલકે કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ખાડામાં કાર પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં કારમાં બેસેલ મુસાફરનું મોત થયું હતું

ઉત્તરપ્રદેશના રહેવાસી ક્રિષ્ના કૃષ્ણચંદ્ર ત્રિવેદીએ સ્વિફ્ટ કાર જીજે 03 બીવાય 2401 ના ચાલક ગૌરાંગભાઈ ભીખાભાઇ મજેઠીયા રહે ગડુ તા. માળીયા (હા) વિરુદ્ધ ફરિયાદ નોંધવગી છે કે કારના ચાલકે કાર પુરજડપે ચલાવી નેશનલ હાઇવે પર નાગડવાસ ગામના પાટિયા નજીક કાર રોડની સાઈડમાં ઉતરી જતાં પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં કારમાં પાછળ બેસેલા કૃષ્ણચંદ્ર ત્રિવેદીને માથામાં ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે