કુંભાર દરવાજા નજીક રહેતા 47 વર્ષીય આધેડ વહેલી સવારે ઊંઘમાં પગથિયાં ઉતરતી વખતે ભૂલી જતાં ધાબા પરથી નીચે પડી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું
મૂળ ધંધુકા તાલુકાના તગડી ગામના વતની હાલ હળવદ કુંભાર દરવાજા કરાંચી કોલોનીમાં રહેતા નાગરભાઈ હનુભાઈ કોંગતિયા (ઉ. વ.47) વાળ વહેલી સવારે પેશાબ કરવા ઉઠયા અને ઊંઘમાં છતના પગથિયાં ભૂલી જતાં છત પરથી નીચે પડતાં માથામાં ઇજા પહોંચતા મોત થયું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે