રફલેશ્વર જીઆઈડીસીમાં રહીને મજૂરી કરતાં 21 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ ખેડા જિલ્લાના વતની અને હાલ રફલેશ્વર જીઆઈડીસીમાં એવાઈ ડેકોર કારખાનામાં રહીને કામ કરતાં સંજયભાઈ દિપાભાઈ ચાવડા (ઉ. વ.21) નામના યુવાને લેબર કોલોનીમાં પોતાની જાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લોખંડ એંગલ સાથે ખાટલાની પાટટી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે